મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના પોશ એવા સેટેલાઇટ વિસ્તારના શેલરાજ બંગલોમાં એક મહિલાએ આત્મહત્યા (suicide) કરી લેતા ચકચાર મચી છે. બીમાર પતિને સાસરિયા મળવા દેતા ન હતા, તેમજ મિલકતનો વિવાદથી ઘેરાયેલી મહિલાએ સ્યૂસાઈડ નોટ મૂકીને મોત વ્હાલુ કર્યું છે. સેટેલાઇટ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શેલરાજ બંગલો આવેલો છે. આ બંગલોમાં રહેતા 40 વર્ષીય કૃપા પટેલે આત્મહત્યા કરી છે. પોલીસ તપાસમાં તેમના મૃતદેહ પાસે એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મહિલાએ લખ્યુ હતું કે, ‘મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે.’ કૃપા પટેલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા. આ મામલે સેટેલાઈટ પોલીસે સ્યૂસાઈડ નોટના આઘારે ગુનો (crime news) નોંધ્યો છે. 


આ પણ વાંચો : રંગીન મિજાજી હોમગાર્ડના અધિકારીએ મહિલા જવાનને કહ્યું, ‘હું પ્રેમથી રાખું છું તો તમે મને મજામાં રાખો..’


સ્યૂસાઈડ નોટમાં લખ્યું, મારા મોતથી ઘણા ખુશ થશે
‘‘બધાને ખુશ રહેજો તેવી શુભેચ્છા. મને ખબર છે મારા મર્યા પછી ખાસ ઘણા બધા ખુશ રહેશે અને ઘણા દુઃખી થશે, પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે મારા મોત પછી દેવાંશી યાના મા-બાપ વગરનાં થશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બંને દીકરી દેવાંશી અને યાનાની જ કરજો. મહેરબાની કરીને સીપી પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા હતી કે અમારી દીકરીઓ ખૂબ જ સુખી રહે જેમ અત્યારે તમારી દીકરીઓ કવિતા પારૂલ છે. આટલું કરશો તો પણ મારી આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો મારું મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દીકરી હતી જે હવે નથી, ધન્યવાદ નિરૂ. મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.’’