Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ શહેરમાં માનવામાં ન આવે તેઓ અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એર ઇન્ડિયાની દિલ્લી ફ્લાઇટ સમયસર ટેકઓફ ન થઇ. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮:૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરિદેવસિંહને દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ બીજા પાયલોટની વ્યવસ્થા ન થતા ગઈકાલ રાતથી આ ફ્લાઈટ એરપોર્ટ પર જ રહી, અને ઉડાન ન ભરી શકી. જોકે, આ ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તેના કોઈ ઠેકાણા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે એસટી બસ કે લોકલ ટ્રાવેલ્સ હોય તેમનું પણ મેનેજમેન્ટ હોય છે કે કયો ડ્રાઇવરની ક્યારે નોકરી પૂરી થાય છે અને એના રિલિવર તરીકે કોને ત્યાં રાખવા તે સ્થાનિક લેવલે પણ તેઓ નક્કી કરી પેસેન્જરનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. પરંતુ જ્યારે વાત હવાઈ મુસાફરીની કરવામાં આવે ત્યારે તેના મેનેજમેન્ટની વિશ્વભરમાં પ્રશંસા થતી હોય છે. પરંતુ રાજકોટ એરપોર્ટ પર એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં ગઈકાલે એટલે કે રવિવારે રાત્રિના આઠ વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરવાની હતી. પરંતુ ફ્લાઇટનો જે મુખ્ય પાયલોટ હતો તેની શિફ્ટ પૂર્ણ થઈ જતા તેને જીદ પકડી હતી કે હવે હું ફ્લાઇટને ઉડાન નહીં ભરાવું. 


તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી


વરસાદી આફતે ગુજરાતમાં 130 નો ભોગ લીધો, વીજળી પડવાની ઘટનાઓ વધુ ધાતક બની


સૌથી મહત્વનો સવાલ એ છે કે મુખ્ય પાયલોટની શિફ્ટ પૂરી થઈ જવાનો ખ્યાલ શું એર ઇન્ડિયા મેનેજમેન્ટને ન હતો??? તે પણ સૌથી મહત્વનો સવાલ છે પરંતુ આ બનાવ અત્યારે રાજકોટ સહિત સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનો કિસ્સો બન્યો છે.


સાયન્સ સિટીમાં ફરતી આ બસમાં જરૂર બેસજો, બસમાં મળશે પ્લેન જેવો અનુભવ