દવાના નામે દારૂનો ગુજરાતમાં બેફામ વેપલો, જુઓ Zee 24 કલાકનો Exclusive રિપોર્ટ

કાયદાકીય રીતે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્યની અનેક દુકાનોમાં આર્યુવેદિક દવાના નામ પર આલ્કોહોલિક પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. કાયદાનો ઉલાળીયો કરીને દુકાનદારો દારૂનું પૂરક એવુ આલ્કોહોલિક પીણું ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત ગુજરાતભરમાં દવાના નામે વેચાતા હર્બી નામના પીણું વેચાઈ રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનમાં આ આલ્કોહોલિક પીણાના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ :કાયદાકીય રીતે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્યની અનેક દુકાનોમાં આર્યુવેદિક દવાના નામ પર આલ્કોહોલિક પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. કાયદાનો ઉલાળીયો કરીને દુકાનદારો દારૂનું પૂરક એવુ આલ્કોહોલિક પીણું ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત ગુજરાતભરમાં દવાના નામે વેચાતા હર્બી નામના પીણું વેચાઈ રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનમાં આ આલ્કોહોલિક પીણાના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે
ગુજરાતમાં દારૂબંધી છે, તેથી દારૂ સરળતાથી નથી મળતુ. પણ તેના બદલામાં એક ચીજ એવી છે, જે સસ્તુ પણ પડે છે અને માંગો ત્યારે મળી જાય છે. હા, અમે વાત કરી રહ્યા છે હર્બી નામના આલ્કોહોલિક પીણાંની. બિયર બોટલ વેચવી ગુનો છે, પણ આ પીણાને પીવામાં કોઈ જ રોકટોક નથી, તેના વેચાણ પર કોઈ અંકુશ નથી. જેથી તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, અને સરવાળે રાજ્યનું યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું છે. ZEE 24 કલાક દ્વારા પાટનગરમાં ગાંધીનગરમાં તેની રિયાલિટી ચેક કરવામાં આવી તો ગાંધીનગરમાં જ 3થી 4 દુકાનોમાં નશાનો કારોબાર થઈ રહ્યો છે. અહીં જેટલી જોઈએ એટલી બોટલ સરળતાથી મળી જાય છે. દારૂ ન મળે તો નશાખોરો આ પીણાનું સેવન કરે છે.
સાવરકુંડલામાં જોવા મળ્યો અનોખો નજારો, કિન્નરોએ સામેથી લોકોને આપ્યા શુકનનો ‘રૂપિયો’
અમીરગઢ ચેકપોસ્ટ પર પંજાબના શખ્સોનું પોલીસ પર ફાયરિંગ, એક આરોપી પકડાયો
ઝી 24 કલાક દ્વારા જ્યારે નશાના કાળા કારોબાર વિશે સરકારને પૂછવામાં આવ્યું તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ બાબતોને રોકવા માટે નાર્કોટિક્સ અંગેનો કાયદો કડક કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. તેમજ વિધાનસભામાં આ સમયે તેનુ સુધારા વિધાયરક લાવાવમાં આવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :