Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભા કરીને ચૂંટણી માહોલ બનાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ કેજરીવાલને આજે આડે હાથ લઈને અનેક આક્ષેપો કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ અને આપ ઉપર ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર બન્યું છે, અને તે ગુજરાતમાં જુઠ્ઠાણાં ફેલાવે છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં ભાજપ હારે છે એટલે આપને આગળ કરે છે. ભાજપ આદિવાસીઓના અધિકાર છીનવે છે. આદિવાસીઓને મોદી વોટબેંક સમજવાનું બંધ કરે. ભાજપ આદિવાસી વિરોધી છે. ભાજપે આદિવાસી લોકો માટે આરોગ્ય અને શિક્ષણની કોઈ વ્યવસ્થા કરી નથી.


ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી પંચ અંગે આલોક શર્માએ વેધક સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણી કેમ જાહેર કરતું નથી. ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના ઇશારે કામ કરે છે. કોંગ્રેસના ઉમેદવારને પ્રચારનો ઓછો સમય મળે એટલે મોડું કરવામાં આવે છે. ચૂંટણી જાહેર નથી થઈ છતાં ચૂંટણી પંચ અધિકારીઓની બદલી કરે છે.


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube