બ્રિજેશ દોશી/અમદાવાદ :કોંગ્રેસના બગાવતી ધારાસભ્યો બનીને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આવતીકાલે ભાજપમાં જોડાશે. આવતીકાલે સાંજે 4 કલાકે તેઓ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. બંને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાનાર છે. ત્યારે આ પ્રસંગે ઠાકોર સેનાના સમર્થકોને કમલમ પહોંચવા સૂચના આપી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : 22 માસુમોનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું


રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરી કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરના સુર બદલાયા હતા. ગઈકાલે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અમે સામેથી ભાજપામાં જોડાવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમજ ભાજપ તરફથી રાધનપુર બેઠક પરથી પેટાચૂંટણી લડવાની ઇચ્છા છે, પણ ટીકીટ આપવાનો નિર્ણય પાર્ટી કરશે. આમ, કોંગ્રેસમાં વારંવાર શિસ્તનો ભંગ કરનાર અલ્પેશ ભાજપામાં જોડાયા અગાઉ શિસ્તના ગુણગાન ગાવા લાગ્યા હતા. તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષ માટે ઘસાતુ બોલવા લાગ્યા હતા. કોંગ્રેસમાં તેમના રાજીનામાનો દોર પણ ભારે નાટકીય રહ્યો હતો. 


BJP રાજમાં ખાનગી સ્કૂલોવાળાને ઘી-કેળા, 2 વર્ષમાં 1287 ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવાની મંજૂરી આપી


અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ સૌથી પહેલા જોવુ એ રહેશે કે તેમને શું સોંપવામાં આવશે. કારણ કે, કોંગ્રેસમાંથી પલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ભાજપે મંત્રીપદની લ્હાણી કરી છે, જેને કારણે પહેલેથી જ ભાજપમાં આંતરિક વિખવાદો શરૂ થયા હતા. ત્યારે હવે ભાજપ અલ્પેશ ઠાકોરને કઈ જવાબદારી સોંપશે તેના પર સૌની નજર છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :