પાટણઃ પાટણમાં સદારામ બાપાની તબિયત પુછવા આવેલા અલ્પેશ ઠાકોરે પત્રકારો સામક્ષ કોંગ્રેસ વિરુદ્ધ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ગુરૂવારે વિધાનસભામાં અલ્પેશ ઠાકોરનું સબ્યપદ રદ કરવા માટે જે કાર્યવાહી કરાઈ છે તેના અનુસંધાનમાં અલ્પેશે જણાવ્યું કે, તે રાધનપુરનો ધારાસભ્ય છે અને રહેશે. કોંગ્રેસમાં અનેક નેતાઓ પક્ષવિરોધી પ્રવૃત્તિ કર્યા બાદ પણ હાલ પાર્ટીમાં કામ કરે છે. છેલ્લા એક વર્ષથી અપમાનનો ઘૂંટડો પીધા બાદ આ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "ચૂંટણી સમયે કોંગ્રેસે શા માટે આ કાર્યવાહી કરવાનો પ્રયાસ ન કર્યો. કોંગ્રેસે કયા કાયદાના આધારે મારું સભ્યપદ રદ કરાવાની અરજી દાખલ કરી છે. કોંગ્રેસને ચૂંટણીના સમયે ભય હતો કે સેનાના કાર્યકરોનો, ગરીબોના રોષનો સામનો કરવો પડશે."


અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, "મેં કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદેથી નહીં. હવે કોંગ્રેસે એ નક્કી કરવાનું છે કે તેમને ગરીબોનો સાથ જોઈએ છે કે નહીં? ઠાકોરોનું સમર્થન જોઈએ છે કે નહીં? અલ્પેશ ઠાકોરની પડખે આખી સેના છે. ખેડૂતો, યુવાનો માટે હું લડી રહ્યો છું અને લડતો રહીશ. ધારાસભ્ય પદે રહીને હું લોકોના કામ કરીશ."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચા જાણવા અહીં કરો ક્લિક...


અલ્પેશે ધારાસભ્ય પદેથી દૂર કરવા અંગે કોંગ્રેસને ધમકી આપતા કહ્યું કે, "છેલ્લા એક વર્ષથી હું કોંગ્રેસમાં અપમાનનો ઘુંટડો પી રહ્યો હતો. સ્વમાનના ભોગે રાજનીતિ ન થાય. મને ધારાસભ્ય પદેથી દૂર કરાવ્યા બાદ કોંગ્રેસે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોણ-કોણ નેતાઓ છે સમય આવ્યે પત્તા ખોલવામાં આવશે."


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....