તેજસ દવે/મહેસાણા: પાટણના રાધનપુરના શેરગઢમાં યુવતી પર હુમલાનો મોટાપાયે વિરોધ નોંધાયો છે. આજે પાટણનું રાધનપુર સજ્જડ બંધ રહ્યું હતું. ધંધુકા બાદ હવે રાધનપુરની ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હજારોની સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા. રાધનપુરમાં અલગ-અલગ સંગઠનોએ બંધનું એલાન આપ્યુ છે. આ સાથે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે. હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. શેરગઢમાં ઘાયલ યુવતી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધનપુરમાં વિધર્મી યુવક ઘ્વારા યુવતી પર કરાયેલ હુમલા મામલે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઇજાગ્રસ્ત યુવતીની મુલાકાત કરી હતી. આજે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, એક દીકરી પર હુમલો કરવામાં આવ્યો, દીકરીને ધાક ધમકીઓ આપવામાં આવી કે, ઉઠાવી જઈશુ.. આ પ્રકારની ઘટનાઓ રોકવી પડશે. આવા જે કોઈ અસામાજિક તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.


કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, દરગાહ પાછળથી પિસ્તોલ- બાઈક મળ્યું


તેમણે ઉમેર્યું હતું કે, પાટણના રાધનપુરના શેરગઢમાં યુવતી પર હુમલાની ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છે. આવા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. તમામ સમજો આ દીકરીના પડખે ઉભા છે. આવા લોકો સામે તલવાર ઉપાડવી પડશે તો હું તૈયાર છું. આ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપવા તૈયાર છું. આવા અસામાજિક તત્વો સામે દાખલા રૂપ સજાઓ થવી જોઈએ. સડે ચોક આ લોકોને કોઈડા વિંઝવા જોઈએ, સડે ચોક સજા કરી આવા લોકોના સરઘસ નીકળવા જોઈએ. 


અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, નેતાઓએ પણ રાજનીતિથી પરે રઈને આગળ આવવું જોઈએ. નમાલી રાજનીતિ મને આવડતી નથી. આવી રાજનીતિ ના કરવી જોઈએ. આવા તત્ત્વો જે ભાષા સમજે તે ભાષામાં જવાબ આપવો જોઈએ.


શંકર ચૌધરીની પ્રતિક્રીયા
પાટણમાં ચૌધરી સમાજની દિકરી પર હુમલાના કેસમાં ચારેકોર આક્રોશ છવાયેલો છે. સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા છે. જ્યના પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ પણ હેવાન સામે આક્રોશ ઠાલવ્યો છે. તેમજ કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે. શંકર ચૌધરીએ કહ્યું કે, આપણા ગૃહ રાજ્યમંત્રી ખુબ એક્ટીવ છે. આ જોશ તમારામાં છે એ 20 વર્ષ પહેલા મારામાં પણ હતો. આજે પણ એ જ જોશ છે, પણ અનુભવથી કહું છું. અહીંથી નિકળીને નિર્દોષને કનડવાનું કામ ન કરતા. કેટલાક તત્વોને અશાંતિ ફેલાવવામાં જ રસ છે. આ દીકરીને ન્યાય આપવાનું જ કામ કરવાનું છે. કોઇ ખરાબ ઇરાદા સાથે આવ્યું હોય તો રોકી લેજો. સરકાર અહીંયા આવે અને અહીંયા જ આવેદનપત્ર આપીશું. રસ્તામાં જઇને કોઇ નુકશાન કરશે તો કોણ જવાબદાર? '20 લોકોની ટીમ બનાવીને ગૃહમંત્રી પાસે જઇશું. 


રાજકોટમાં ધંધૂકાવાળી થતાં થતાં રહી ગઈ...!!! '...અઝાન માટે ગળું કપાવી દઈશ'


શશીકાંત પંડ્યાએ કહ્યું,  આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી
પાટણમાં દીકરી પર વિધર્મી યુવકના હુમલા મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે ડીસાના MLA શશિકાંત પંડ્યાએ કહ્યું કે, દીકરીને ન્યાય મળશે. હવે કોઇ સહેજ પણ અટકચાળા કરશે તો નહીં ચલાવી લઇએ. અમે કોઇ ડરપોક કે નપુંસક નથી, એક પંજો પડ્યો તો ભાગી જશો. આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી. સુધરી જજો નહીં તો ઉભાને ઉભા ચીરી નાંખીશ.


યુવતી પર હુમલા મામલે પાટણના એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યુ કે, યુવકે યુવતી પર હુમલો કર્યો તે વાત સાચી છે. તેથી આ બાબતે કડક તપાસ અને યુવક પર કાયદેસરની કાર્યવાહી થશે. ઘટનામાં આવ્યો નવો વળાંક એ છે કે, યુવતી અને યુવક લાંબા સમયથી પરિચિત હતા. બંને વચ્ચે ટેલિફોનિક વાત થઇ છે તે નંબરની તપાસ અમે કરી રહ્યાં છે. ઘટનાની તપાસમાં પૈસાની બાબત પણ સામે આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube