Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી વરસાદની અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, સુરત નવસારી, ડાંગમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની અંબાલાલ પટેલની આગાહી છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની સંભાવના છે. 15 ઓક્ટોબર એટલે નવરાત્રિનો પ્રારંભ, નવરાત્રિનું પ્રથમ નોરતું. અંબાલાલ પટેલે પહેલેથી જ કહી દીધું છે કે આ વર્ષે નવરાત્રિ બગડવાની છે. નવરાત્રિમાં ભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે
હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.


આજે અંબાજી મંદિરનો ખૂણેખૂણો સાફ કરાશે, મેળા બાદ કેમ કરાય છે આ પ્રક્ષાલન વિધિ જાણો


રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે. 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે. 


મોત દરિયામાં ખેંચી ગયું, વિઘ્નહર્તાની કારણે સુરતનો લખન 36 કલાક મોત સામે ઝઝૂમી આવ્યો


ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે
શુક્રવારે અને શનિવાર એમ બે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાના એંધાણ છે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 2 દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ભેજના કારણે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. 2 દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે. તેના બાદ વરસાદની શકયતા નહિવત છે. અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. હાલ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે, ઉત્તર રાજસ્થાનથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે. વાદળો હટી ગયા છે એટલે બપોરે ગરમી લાગે છે. જ્યારે છૂટો છવાયો વરસાદને લઈને રાત્રે ઠંડક રહે છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ રહ્યો છે. ગાંધીનગરમાં 24 ટકા, અમદાવાદમાં 21 ટકા અને વડોદરા 21 ટકા ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે કે, કચ્છમાં 83 ટકા વધુ વરસાદ રહ્યો છે. 


ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજીને ચોખ્ખું કરવાનું અભિયાન : ત્રણ દિવસ ચાલશે સફાઈકામ