ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં કોરોના અંગેના મહત્વના અપડેટ્સ અંગે AMC કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, લોકડાઉનનું પાલન થાય તો કોરોનાના કેસ ઘટી શકે છે. 14 દિવસના લોડાઉનનું યોગ્ય રીતે પાલન થશે તો જોઈએ તેવા પરિણામો મળશે. પહેલા બે લોકડાઉનમાં જે સફળતા મેળવી તેવી જ રીતે ત્રીજા લોકડાઉનું પણ પાલન કરીએ. સંપૂર્ણપણે ઘરમાંથી ન નીકળીએ, માસ્ક પહેરી રાખવાનું, થૂંકવુ નહિ. જો 14 દિવસ સુધી 100 ટકા લોકડાઉનનું પાલન કરીશુ તો મે મહિના અંત સુધીમાં સંક્રમણ ઘટી શકે. આપણે તમામ અમદાવાદીઓ એકસાથે મળીને લોકડાઉનનું સંપૂર્ણ મક્કકમતા, પૂર્ણ અનુશાસન અને શિસ્ત સાથે પાલન કરીએ. 


લોકડાઉનના ધજ્જિયા ઉડાવતી રાજકોટની સરકારી સ્કૂલ, 100 વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લેવા બોલાવ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વોરિયર્સની ફોર-ફાઈવ સ્ટાર હોટલમાં સારવાર 
કોરોનાના કપરા કાળમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને ફ્રન્ટ લાઈન પર કામ કરતા વોરિયર્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ફ્રન્ટ લાઈન પર કામ કરતા કોરોના વોરિયર્સ કર્મચારીઓને ચેપ લાગે તો સારવાર પણ સર્વશ્રેષ્ઠ મળે, અને કેર અને મેનેજમેન્ટ સારામાં સારુ મળે તેવો નિર્ણય એએમસી દ્વારા લેવાયો છે. આવા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવે તો તેઓની ફોર સ્ટાર ને ફાઈવ સ્ટાર હોટલમાં નિશુલ્ક સારવાર કરાવવામાં આવશે. તેમનો તમામ ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા ભોગવશે. જેનાથી કોરોના વોરિયર્સનું મનોબળ વધશે. આગામી સમયમાં તેઓને કોરોના પોઝિટિવ થાય તો તેમની સારવાર અને સંભાળ ઉત્કૃષ્ઠ હશે તો તેમનુ મનોબળ અને ઉત્સાહ વધશે. 


અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વોરિયર્સના સન્માનની Air Forceની તૈયારી શરૂ, આકાશથી કરશે ફૂલોનો વરસાદ