અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના (Coronavirus) ના વધતા જતા કેસના લીધે રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ અંગે અગાઉ પોલીસ કમિશ્નર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે એમએમસી (AMC) દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે અને આવતીકાલે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત જે સામાજિક મેળાવડા થતા હશે તેને બંધ રાખવામાં આવશે. એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી (Holi) રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે. જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.}

1 એપ્રિલથી પાણીની બોટલો વેચવા માટે બદલાઇ જશે નિયમ, જાણો શું છે FSSAI નો આદેશ


આવતીકાલે તંત્ર મસમોટી ફૌજ મેદાનમાં ઉતરશે. પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. 


અત્રે ઉલ્લખેનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે રાજીનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય. 

Filmfare Awards 2021: તાપસીને બેસ્ટ અભિનેત્રી અને ઇરફાન ખાનને મળ્યો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ


9 વાગ્યા સુધી હોળીદહન કરી લેવાનું રહેશે 
ડીસીપી ડૉ હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હોળી અને ધૂળેટીના પર્વ પર જાહેર રસ્તાઓ અને મિકલતો રંગ ન નાંખવો. સાથે જ તહેવારો પર રૂપિયા ઉઘરાવવામાં આવે છે તેના પર પ્રતિબંધ છે. તેમજ અમદાવાદમાં રાત્રે 9 વાગ્યા પહેલા હોળી દહન કરી દેવું અને કરફ્યૂના 9 વાગ્યાના સમય પહેલા ઘરે પહોંચી જવાનો અમલ કરવો પડશે. સાથે જ અમદાવાદમાં પ્રતિબંધ મુજબ કોઈ પણ ધૂળેટી નહિ રમી શકાય. આપેલી સૂચનાઓનો ભંગ થશે તો કાયદાકીય પગલાં લેવાશે. આ ઉપરાંત સબે બારાત અને હોળી ધુળેટીના બંને તહેવાર સાથે છે તો શાંતિ અને એકતાથી બંને તહેવાર ઉજવાય તે ધ્યાન રાખવું.


પોલીસ કમિશનરનું જાહેરનામુ....


રસ્તા પર આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય
કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઈ તહેવાર ઉજવશે તો ગુનો નોંધાશે 
હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકશે
હોળી અને ધૂળેટીના દિવસે કોઈપણ કાર્યક્રમ આયોજિત નહિ કરી શકાય 
હોળી-ધૂળેટીના તહેવાર પર પોલીસનો સખત પહેરો રહેશે. પોલીસ બંદોબસ્તમાં 12 ડીસીપી, 15 acp સહિતનો સ્ટાફ રહેશે. તો સાથે જ Raf ની બે કંપની, srp ની કંપની તૈનાત રહેશે. સાથે જ સંવેદનશીલ જગ્યાએ ડીપ પોઇન્ટ મૂકાશે. પેટ્રોલિંગ પણ સઘન રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube