Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. મહાસંગ્રામમાં હવે દરેક પાર્ટીએ પોતાના આયુધ તૈયાર કરી લીધા છે. આ વખતનો ચૂંટણી 2022નો ચૂંટણી સંગ્રામ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કયા મુદ્દાઓ પર લડાઈ રહી છે 2022ની વિધાનસભા ચૂંટણી. ZEE 24 કલાકના કાર્યક્રમ શીર્ષસંવાદમાં અમિત શાહે વિવિધ સવાલોના જવાબ આપીને ચૂંટણીની રણનીતિના રહસ્યો ખોલ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકના કાર્યક્રમ શીર્ષસંવાદમાં અમિત શાહે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. અમિત શાહે જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે જણાવ્યું હતું કે, જયનારાયણ વ્યાસની ઉંમર 75 વર્ષની થઈ ગઈ છે. જયનારાયણ વ્યાસને ખબર છે કે ભાજપમાં તેમને ટિકિટ નહી મળે. જેથી હવે તેમના રાજીનામાનો કોઈ અર્થ રહેતો નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube