અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 2 મહિલાનાં મોત થયાં છે. કાટમાળ નીચે દટાયેલામાંથી 5 લોકોને બહાર કાઢીને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરાઈવાડીની બંગલાવાળી ચાલીમાં ધરાશાયી થયેલી આ મકાન 100 વર્ષ જુનું હતું. આ મકાનની ત્રણ દિવાલો કકડભૂસ થઈને તુટી પડી હતી. ત્રણ માળના મકાનામાં સુરી પરિવારના 12 સભ્યો રહેતા હતા. આ ઉપરાંત એક પરપ્રાંતિય પરિવાર પણ આ મકાનમાં ભાડે રહેતો હતો. કુલ 12 સભ્યોમાંથી બે સદસ્ય બહાર ગયા હતા, જ્યારે બાકીના 10 વ્યક્તિ આ ઘરમાં હાજર હતા.


મકાન તુટી પડ્યું ત્યારે 10 વ્યક્તિ કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. જેમાંથી 7 વ્યક્તિને બહાર કઢાયા હતા. રેસ્ક્યુ કામગીરી દરમિયાન બહાર કાઢવામાં આવેલા 7 વ્યક્તિમાંથી બે મહિલાના મૃતદેહ હતા અને 5 વ્યક્તિ જીવીત હતા, જેમને નજીકની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...