આણંદ: રાજ્યમાં સતત ક્રાઇમનો ગ્રાફ વધતો જાય છે. દિવસે ને દિવસે બળાત્કાર અને હત્યાના ઘટાડામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદના ગોરડામાં એક રહેલી પરિણીતા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુરના ગોરાડ ગામના એક માથાભારે વ્યક્તિએ એક પરણિતા પર બળાત્કાર ગુજારતા હાહાકાર મચી જવા પામ્યો છે. ગત 17 જૂનના રોજ જ્યારે પરણિતા ઘરે એક હતી ત્યારે એકલતાનો લાભ લઇને પરણિતાને ધક્કો મારીને પલંગ પર નાખી દીધી હતી. ત્યારબાદ તેનું મોંઢું દબાવીને બળાત્કાર ગુજાર્યો હતો. 

Corona ના કારણે જીવનમાં આવ્યું આમૂલ પરિવર્તન, સુરતમાં વધ્યો ટેરેસ ગાર્ડનનો ક્રેઝ


આ અંગે પરિણીતાએ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા માલદેવસિંહ ગોહિલ વિરૂદ્ધ તારાપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મનો ભોગ બનનાર પરણિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube