ગૌરવ દવે, રાજકોટ: આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે. જોકે, ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી છે. સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.


જુઓ વીડિયો:- 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube