Gujarat Weather Forecast:  રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. આવતીકાલે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઇ શકે છે. જોકે વરસાદ થવાની સંભાવના ઘણી જ ઓછી છે. દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હજું આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 


23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.  


પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં 22-25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં 1-2 દિવસનો ફરક પડી રહ્યો છે. 18મી તારીખે તેમણે જણાવ્યું હતું કે, જે પવનની ગતિ 9-12 કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને 16-20kmph થઈ ગઈ છે. જે લગભગ 22 તારીખ સુધી રહી શકે છે. 


અરબી સમુદ્રની અસ્થિરતાના કારણે ગુજરાતમાં 20 તારીખથી ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઉભો થશે પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી. 20-23 તારીખ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ઘાટાં વાદળો જોવા મળશે. આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ-દોકલ ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં થઈ શકે છે. 22 ડિસેમ્બર સામાન્ય ઝાપટાં થવાની શક્યતાઓ પ્રબળ છે, આ પહેલા પણ ક્યાંક છાંટા થઈ શકે છે. આ વખતે છૂંટાછવાયા છાંટા કે સામાન્ય છાંપટાં થઈ શકે છે. 


 ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત છે. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાનની આગાહી છે. આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જેમાં અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ આવી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડી શકે છે. 


આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. 


વરસાદ સાથે ઠંડી આવશે 
સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.