ઉદય રંજન/અમદાવાદ: મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું. રીનોવેશન નામે બંગલો પચાવી પાડવાના ષડયંત્ર રચ્યું હતું..કિરણ પટેલ અને તેની પત્નીના આ કારસ્તાન લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી. જ્યારે ભોગ બનાર એ કિરણ પટેલ પાછળ રાજકીય પીઠબળ હોવાનો આરોપ લગાવ્યો છે. શું છે આ મહાઠગની નવી ઠગાઇ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયારીઓ શરૂ! ગુજરાતમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે કોરોના, આજનો આંકડો જાણી લાગશે 'ડર'


ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવીને જમ્મુ પોલીસને ગેરમાર્ગે દોરનાર મહાઠગ કિરણ પટેલને વધુ એક કારસ્તનો પર્દાફાશ થયો. કિરણ અને તેની પત્ની માલિનીએ મિત્રતા કેળવણીને કરોડોનો બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો. ઘટના કઈક એવી છે કે જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલ એ PMOના ક્લાસ વન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો..જે બાદ જગદીશ પટેલ એ ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશન નો કોન્ટ્રાકટ આપ્યો હતો.


અમદાવાદમાં મેઘરાજા વિફર્યા! ધૂળની ડમરીઓ બાદ કડાકા ભડાકા સાથે વરસાદની ધબધબાટી


કિરણ પટેલ અને તેની પત્ની માલિની સાથે મળીને સિંધુભવન પાસે આવેલ નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશન ના 35 લાખ રૂપિયા મેળવી કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ભાઈ બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું. જેમાં બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે બંગલાની બહાર કિરણ પટેલ એ પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું...જે બાદ પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો..જેને લઈ જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી છે.


Covid Variant: કોરોના ફરીથી તબાહી મચાવશે! 5 રાજ્યોમાં આ વેરિએન્ટના વધ્યા કેસો


ફરિયાદી જગદીશ ચાવડા એ આક્ષેપ કર્યા છે કે ઠગ કિરણ પટેલ ના અનેક કારસ્તાન છે અને તેની પાછળ રાજકીય પીઠબળ હોવાનો આરોપ લગાવ્યો હતો એટલું જ નહીં જગદીશ ચાવડા એ આક્ષેપ કર્યો હતો કે કિરણ તેને બોર્ડ નિગમમાં પદ આપવાનું, કોર્પોરેશન માં ડાયરેક્ટર કે ચેરમેન બનાવવાની ઓફર આપી હતી અને સરકારી ટેન્ડર મેળવવા માટે તેમને PMO માંથી કામ કઢાવવા માટે રોફ જમાવતો હતો..ફરિયાદી જગદીશ ચાવડા ના નાના ભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને વિધાનસભામાં ટિકિટ આપવાનું કહીને કિરણ પટેલ મોટી મોટી વાતો કરીને રોફ જમાવતો હતો.


મિલકત ખરીદતા પહેલા સાવધાન! સુરતમા 7 સ્ટાર કંપનીના બિલ્ડરોનો આ કિસ્સો અચૂક વાંચી લેજો


માત્ર આટલું જ નહીં પરંતુ ફરિયાદીએ કરેલ દાવા અને આરોપ પ્રમાણે કિરણ પટેલ રંગીલા મિજાજનો હતો કેમ કે પચાવી પાડેલ બંગલા પર તેની પત્ની અને બીજી પત્ની ઉપરાંત તેની અનેક ગર્લફ્રેન્ડ પણ બંગલા પર લઈને આવતો હતો..જેમાં લક્ઝુરિયસ કાર માં આવીને પોતાની હાઈ પ્રોફાઈલ ની સ્ટાઈલ થી લોકો આકર્ષિત કરતો હતો. આ પ્રકારે ઠગ દંપતીએ ફક્ત જગદીશ ચાવડા જ નહીં પરંતુ ઘોડાસર નું એક મકાન પચાવી પાડ્યું છે.


PM મોદી ફરી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રમાં કરશે રોડ શો, જાણો શું હશે સંભવિત કાર્યક્રમ?


હાલ ઠગ કિરણ પટેલ શ્રીનગર જેલ કસ્ટડીમાં છે ક્રાઇમ બ્રાંચની ટીમ ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલને કસ્ટડી મેળવશે પરતું આ ઠગાઇના કેસમાં કિરણ પટેલ એ કોર્ટ નો સહારો લીધો હોવાના કારણે ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલને 7 દિવસની નોટિસ આપ્યા બાદ જ ધરપકડ કરી શકશે..જેથી હાલ તો ભુર્ગભ માં ગયેલી કિરણ પટેલની પત્ની માલિની શોધખોળ કરવામાં આવી રહી છે..ત્યારે થોડા દિવસમાં જગદીશ ચાવડા કિરણ પટેલ ના કારસ્તાન ખુલાસા કરે તેવો ઘટસ્ફોટ કર્યો છે..જોવું રહ્યું કે ઠગ કિરણ પટેલ ની તપાસ માં કેટલા લોકોની સંડોવણી સામે આવે છે.


અકસ્માતમાં પગ ગુમાવ્યો, પછી 4 વખત આપઘાતનો પ્રયાસ, પરંતુ કૃદરતને મંજૂર નહોતું અને આજે..