રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: મુંબઈના મુફતી સલમાન અઝહરી વિરૂદ્ધ ભડકાઉ ભાષણ અંગે સામખીયાળી પોલીસ મથકે પણ ગુન્હો નોંધાયો છે. ભડકાઉ ભાષણ મામલે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને ભૂખ્યા મરવાનો આવશે! 500 રૂપિયે કિલો પહોંચ્યું લસણ, ટામેટાં પણ થશે મોંઘા


ગત તા. 31 જાન્યુઆરીના રોજ કચ્છના સામખીયાળીમા એક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થયું હતું. જેમા મૌલાનાએ હાજરી આપી હતી અને ભડકાઉ ભાષણ આપ્યુ હતું. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. અને વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર તથા મૌલાના સામે ફરીયાદ નોંધાઇ છે. ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ મામલે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ન્યાયના દેવતાએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકશે, બંપર ધનલાભ


આ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીના રોજ સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવતા આયોજક અને સલમાન અઝહરી વિરુદ્ધ વિવિધ આઇપીસી કલમો હેઠળ સામખીયાળી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. 


Video: સ્કૂટીમાં ક્યાં લટકાવશો બીજું હેલમેટ? આપવામાં આવે છે આ સિક્રેટ જગ્યા