Gujarat BJP : 156 સીટોથી જીત બાદ નાના મંત્રીમંડળ છતાં સરકાર કામે લાગી ગઈ છે. સરકારે મંત્રીમંડળના વિસ્તરણનું ગાજર લટકાવી રાખી નેતાઓને સીધા ચાલવાનો આડકતરો ઈશારો કરી દીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભલે રેકોર્ડબ્રેક બેઠકો જીતી હોય, પણ વાસ્તવિકતા એ છે કે, ભાજપના જ ઉમેદવારને હરાવવા ભાજપના જ અસંતુષ્ટોને ખૂબ જ ધમપછાડા કર્યા હતાં. ભાજપ આ મામલે આળપંપાળ કરશે તો સંગઠનમાં ખોટો મેસેજ જવાનો પક્ષને ડર છે. આ મામલે  ખુદ ભાજપના જ ઉમેદવારોએ કમલમ સુધી ઢગલાબંધ ફરિયાદો કરી હતી. આખરે ભાજપે શિસ્ત સમિતી રચી પક્ષવિરોધીઓ પૂર્વ મંત્રીથી માંડીને પૂર્વ ધારાસભ્યોનું લિસ્ટ ઘણુ લાંબુ છે. હવે સવાલ એ છે કે ભાજપ કાર્યવાહી કરે છે કે કેમ? કારણ કે એક બે દિવસમાં શિસ્ત સમિતિ આ રિપોર્ટ પાર્ટીને સોંપી દેશે. બિલાડીને જ દૂધના રખોપા સોંપાયા હોય એમ ખુદ શિસ્ત સમિતીના પ્રમુખ વલ્લ કાકડિયા સામે જ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનો આરોપ આ બેઠકમાં મૂકાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાની ખેર નથી 
ગુજરાતની એક બે નહીં અનેક બેઠકોમાં ચૂંટણી સમયે ભાજપમાં ખટરાગ હતો. ભાજપે કદાવર નેતાઓને કાપી નાખતાં એમના અંદરો અંદરના કકળાટની કમલમ સુધી એ સમયે ફરિયાદો થઈ હતી. અમદાવાદમાં જમાલપુરમાં આંતરિક ખટરાગ હોવાથી ભાજપને પરિણામ મળ્યું નથી એ મામલે ફરિયાદો પણ થઈ છે. ઠક્કરબાપાનગર બેઠક ભાજપ કાકડિયાને ટિકિટ આપતું હતું પણ આ ચૂંટણીમાં એ ખુદ કપાતાં શિસ્ત સમિતીના પ્રમુખ વલ્લભ કાકડિયાએ જ કોંગ્રેસના ઉમેદવારને પાછલા બારણે મદદ કરી હોવાના આરોપો ભાજપના સ્થાનિક કાર્યકરો મૂકી રહ્યા છે. કમલમમાં રજૂઆત કરવા ગયેલાં કાર્યકરોએ કાકડિયાને પરખાવ્યું પણ હતુ. હવે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર જ પૂર્વ ધારાસભ્ય કાકડિયાને શિસ્ત સમિતીના પ્રમુખ બનાવી દેવાયા છે.


આ પણ વાંચો :  


દીવા તળે અંધારુ, અમદાવાદના મેયર જ પેપર કપના નિર્ણયથી અજાણ, આજથી કાર્યવાહી નહિ થાય


મોદી કર્મચારીઓને આપી શકે છે મોટી ખુશખબરી, PMO લેશે અંતિમ નિર્ણય


ટિલાળા પર થયુ હતું રાજકારણ
એવી પણ ચર્ચા છે કે, રાજકોટમાં પૂર્વ મંત્રી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને કરાવવા મેદાને પડ્યા હતાં. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાને હરાવવા પણ ભાજપના નેતાઓએ પ્રયાસો કર્યા હતા. એટલે ટિલાળાએ તો પોતાની ખુદની નવી ટીમ ઉભી કરવી પડી હતી. સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિખવાદો થયા હતા. રાજકોટમાં તો પાટીલે ખુદ જવું પડ્યું હતું અને બળવાખોરોને શાનમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓની નારાજગી અંદરોખાને પરાકાષ્ઠાએ હતી.  


સૌરાષ્ટ્રમાં પણ થઈ હતી બળવાખોરી
સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો કાંતિ અમૃતિયા અને સાંસદ મોહન કુંડારિયા વચ્ચેનો ઝઘડો જગજાહેર છે. જસદણમાં ભરત બોધરા અને મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચે રાજકીય મતભેદ ચરમસિમાએ છે. એ સમયે ભોળા નામનો કોડવર્ડ પણ વાયરલ થયો હતો. ખુદ બાવિળયાએ કમલમમાં રજૂઆત કરી હતી કે, ભાજપના કાર્યકરોએ મને હરાવવા કોઇ કસર છોડી નથી. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે હજુય આંતરિક વિખવાદ શમ્યો નથી. આ ઉપરાંત વાંકાનેર સોમનાથ સહિત ઘણી બેઠકો પર ભાજપના નેતાઓએ જ કોંગ્રેસને જીતાડવા મથામણ કરી હતી. આમ એક કે બે નહીં, ભાજપ શિસ્ત સમિતિને કુલ મળીને 6૦૦થી વધુ ફરિયાદો મળી હતી. આ મામલે તમામ નેતાઓને સાંભળવામાં આવ્યા છે. રાજકોટમાંથી તો અમને કોઈ ફરિયાદ ન હોવાનું ખુદ ઉમેદવારોએ જીત્યા બાદ કહ્યું છે કારણ કે જીત બાદ ભાજપના ધારાસભ્યો જાણે છે કે નેતાઓ કરતાં રાજકોટમાં ભાજપ પાર્ટીનું વર્ચસ્વ વધારે છે. આમ પાર્ટી કોઈ પણને ટીકિટ આપશે તો અહીં જીતી જવાશે. 3 દિવસ ભાજપની શિસ્ત સમિતીએ ઘણા નેતાઓને સાંભળ્યા છે. હવે આ મામલે પ્રદેશમાં રિપોર્ટ સોંપાશે. ભાજપ ભલે આ મામલે હાલમાં ચૂપ છે પણ આ વિવાદ ઉપર સુધી ધ્યાને દોરાય તો નવાઈ નહીં કારણ કે આ બળવાખોરોમાં મોટા નેતાઓના નામ હોવાની ચર્ચા છે,


આ પણ વાંચો :  'સફેદ સોનું' છે આ પાક, દંપત્તિ 2 જ વર્ષમાં 30 કરોડના માલિક, 600 લોકોને આપી રોજગારી