અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા નામનાન એક નાનકડા ગામમાં એક શિવ મંદિરનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. આ મંદિરના નવનિર્માણ માટે તેની આજુબાજુના ભાગમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન બે લિંગવાળું શિવલિંગ મળી આવતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. આ પ્રાચીન અવશેષો કયા યુગના કે કેટલા વર્ષો જૂના હોઈ શકે તેની હજુ પુષ્ટિ થઈ શકી નથી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંભોડામાં એક શિવમંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન આજુબાજુના ભાગમાં પાયો ચણવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. માત્ર 8 ફૂટના ખોદકામ દરમિયાન જ પ્રાચીન અવશેષો મળી આવતાં ખોદકામ અટકાવી દેવાયું હતું. ત્યાર પછી ધીમે-ધીમે ખોદકામ કરીને વિવિધ અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. 


[[{"fid":"227745","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ ખોદકામ દરમિયાન બે લિંગ ધરાવતું શિવલિંગ મળી આવતાં ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું. કેમ કે, સામાન્ય રીતે શિવલિંગમાં એક જ લિંગ હોય છે. શિવલિંગ ઉપરાંત ખંડિત મૂર્તિ, મંદિરના સ્તંભના અવશેષો, પ્રાચીન કાળનાં વાસણો અને કેટલાક માનવ અવશેષ પણ ખોદકામ દરમિયાન મળ્યા હતા. 


ગ્રામજનોનું માનવું છે કે, અહીં પૌરાણિક કાળમાં કોઈ ભવ્ય શિવમંદિર હોવું જોઈએ. જોકે, હાલ આ પ્રાચીન અવશેષો અંગે વધુ વિગતો જાણવા મળી નથી. 


જૂઓ LIVE TV.....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....