Gujarat Assembly Election 2022, AAP Candidates: (ગૌરવ પટેલ): ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બુલેટ ગતિએ બેઠકો કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે, એટલે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી છે. પરંતુ કોંગ્રેસ અને AAP માટે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે નક્કી કરવા લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પરંતુ તેમ છતાં આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો કોણ હશે તે જાહેર કરશે. અમદાવાદમાં આજે બપોરે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં આવશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે અમદાવાદમાં આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે બપોરે 12.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ આજે બપોરે 2:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચેહરાની ઘોષણા કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube