નડિયાદઃ નડિયાદ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ યાત્રીને ટ્રેન નીચે આવતા બચાવી લેવાયો છે. દિવ્યાંગ યાત્રી અમરાપુર અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમા ચઢવા જઈ રહ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી. ટ્રેનના એ.સી કોચમા ચઢતી વખતે સંતુલન ગુમાવતા યાત્રી ટ્રેન પર લટકાઈ ગયો હતો. સ્ટેશન પર હાજર ASI સંદીપ રેપે તરત જ યાત્રીને ખેંચીને બહાર કાઢ્યો હતો. સાથે જ સ્ટેશન પર હાજર રવી કિરણ શર્મા દ્વારા પણ મદદ કરાઈ હતી. સમયસર યાત્રીને બચાવી લેવાતા તેને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને સ્ટેશન પર પ્રાથમીક સારવાર આપવામા આવી હતી. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube