લાલજી પાનસુરિયા/ સારસા : ગુજરાતમાં પ્રથમ વાર સારસા ખાતે અખિલ ભારતિય સંત સમિતિની બેઠક મળી હતી, તેમા ત્રણ પ્રસ્તાવો પાસ કરવા મા આવ્યા હતા. બેઠકની શરૂઆતમા સંતોની કમિટી દ્રારા ત્રીજી વાર માટે અવિચલદાજી મહારાજને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ત્યારે બાદ ત્રણ પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા.છેલ્લા ઘણા દિવસોથી સરકાર એક્લી સીએએ, એનઆરસી, ત્રણસો સીતેર જેવા અનેક મુદ્દા પર લડી રહિ હતી ત્યારે આજે સંત સમિતિ દ્રારા ખુલ્લુ સમર્થન કરવામાં આવ્યુ છે. ચટ્ટાનની જેમ અમે સરકારના નિર્ણયોની સાથે છીએ સાથે સાથે કોઇ પણ દબાણને વશ થયા વગર  આગળ વધવુ જોઇએ તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube