Holika Dahan 2023 અલકેશ રાવ/બનાસકાંઠા : આજે રંગોથી ભરેલો પવિત્ર હોળીના તહેવારની સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે. પરંતુ બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની 212 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવતી નથી. છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો હોળી મનાવતા નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે, ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે, આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. તેથી હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ આગ લાગી હતી. તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકો એ બંધ કરી દીધું છે.


આ પણ વાંચો : 


ઝુકેગા નહિ સાલા : જેલવાસ બાદ રાણાનો વટ પડ્યો, દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ


ગામમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રણછોડભારથી ગોસ્વામી કહે છે કે, અમારા ગામમાં 200 વર્ષોથી વધુ સમયથી હોળી નથી પ્રગટાવી, સાધુ સંતોના શ્રાપના કારણે હોળીના દિવસે ગામમાં આગ લાગી જતી.


તો ગામના રહેવાસી કરસનભારથી ગૌસ્વામી કહે છે કે, અમારા ગામમાં 200 વર્ષથી હોળી નથી પ્રગટાવવામાં આવતી સાધુ સંતોના શ્રાપ ગામમાં હોળીના દિવસે આગ લાગી ગઈ હતી અને એવું 3 વખત થયું ત્યારથી લોકો ડરી ગયા છે અને હોળી નથી મનાવતા. સાધુ સંતોના શ્રાપના કારણે આગમાં આગ લાગવાથી ખૂબ નુકશાન થયું ત્યારથી ગામમાં હોળી પ્રગટાવતા નથી. 


રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે, જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ 212 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઉઠે છે. આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે, તો એમને પણ દુખ થાય છે કે આમરા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી. તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.


આ પણ વાંચો : 


રૂપાણી સાથે જન્મોજનમનું વેર : વીણી વીણીને તેમના ‘ખાસ’ લોકોને રવાના કરાયા


ગામના સ્થાનિક અજમલભાઈ રાનેરા કહે છે કે, અમારા ગામમાં મેં ક્યારેય હોળી જોઈ નથી પરંપરા પ્રમાણે હોળી નથી પ્રગટાવાતી. 212 વર્ષથી અમારા ગામમાં હોળી નથી થઈ અમે હોળી કેવી રીતે મનાવવામાં આવે છે એ અમે જોઈ નથી અને અમારી આવનારી પેઢી પણ આ ગામમાં હોળી નહિ જોઈ શકે તેનું અમને દુઃખ છે. અમારા ગામમાં હોળી પ્રગટાવતા નથી.મારી ઉંમર 80 થઇ અમે હજુ સુધી હોળી જોઈ નથી. 


વર્ષો પહેલા પહેલા બનેલી ઘટના થી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી. પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે. જોકે આ ગામ હોળીનો તહેવાર નથી ઉજવતું પરંતુ ધુળેટીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક ઉજવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે.


આ પણ વાંચો : 


અંબાલાલ કાકા અને હવામાન વિભાગ કરતા પણ ખતરનાક જ્યોતિષની આગાહી, માર્ચ મહિનો ભારે પડશે