અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે, જ્યાંનું દુષિત પાણી ગંદકી નથી ફેલાવતુ પરંતુ આ પાણી પંચાયતને આર્થિક આવક રળી આપે છે. એટલુ જ નહીં આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળના તળ પણ ઉંચા લાવવામાં મદદરૂપ થાય છે. આ ગામ પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ છે. રૂપપુરા ગામ સરકારની યોજનાઓનો ઉપયોગ કરીને સ્વચ્છતામાં અગ્રેસર બન્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગામના દુષિત પાણીને સ્વચ્છ કરવા માટે ગામ લોકોએ વાસ્મો સહિત અનેક સંસ્થાઓ સાથે મળીને ગામમાં ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી દીધો. આ પ્લાન્ટ થકી તળાવમાં એકત્રિત થતા ગામના લાખો લીટર ગંદા પાણીનું શુદ્ધીકરણ કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહીં શુદ્ધીકરણ કરેલું પાણી કુવામાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. તો તળાવના પાણીના શુદ્ધીકરણ વખતે તે લીલ નીકળે છે તેનું સેન્દ્રિય ખાતર તૈયાર કરવામાં આવે છે. આ ખાતર વેંચીને જ પ્લાન્ટના મેન્ટેનન્સ માટે પૈસા ઉભા કરવામાં આવે છે.


બનાસકાંઠા જિલ્લાનું એક એવુ ગામ કે જે ગામમાં એકઠું થતું દુષિત પાણી ગંદકી નથી ફેલાવતું પરંતુ આ પાણી પંચાયતને આર્થિક આવક રળી આપે છે અને સાથે સાથે ગામ સહીત આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળના તળ પણ ઊંચા લાવવામાં મદદરૂપ પણ થાય છૅ. ત્યારે આવું તે ક્યુ ગામ છૅ. અને આ ગામમાં દુષિત પાણીમાંથી આર્થિક રકમ કેવી રીતે ઉભી કરાય છૅ.


સામાન્ય રીતે વર્ષો અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી અને સમગ્ર ગામો ગંદકીથી ખદબદતા જોવા મળતા. જો કે સરકાર દ્વારા  સ્વચ્છતાની અનેક યોજનાઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર ગામો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે  બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ સરકારની આ યોજનાઓનો ઉપયોગ કરી સ્વચ્છતામાં અગ્રેસર બન્યું છે. રૂપપુરા ગામમાં  ગ્રામજનો દ્વારા વપરાશમાં લેવાયેલું ગંદુ પાણી નાળાં સ્વરૂપે તળાવમાં એકત્રિત થઇ રહ્યું હતું. 


જોકે, આ પાણી તળાવમાં એકત્રિત થયા બાદ ત્યાં ગંદકી એકઠું કરી રહ્યું હતું. જેને લઇ રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી હતી. આ ગામના લોકોએ ફક્ત આ દુષિત પાણીનો નિકાલ કરવાનું જ નહીં, પરંતુ આ દૂષિત પાણીના કચરામાંથી કંચન કેવી રીતે ઉપજાવી શકાય તેને લઇ વાસમો સહિત અનેક સંસ્થાઓની મદદથી ગામમાં ઊભો કરી દીધો. ગ્રે- વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ પ્લાન્ટની મદદથી તળાવમાં રોજીંદુ એકત્રિત થતું લાખો લિટર પાણીનુ શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે અને શુદ્ધિકરણ કરાયેલું પાણી ગામના જૂના પડેલા કૂવામાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં આવી રહ્યું છે.


ફક્ત એટલું જ નહી, પરંતુ શુધ્ધીકરણ કરાયેલા પાણીમાંથી નીકળતી લીલે વેસ્ટ નથી જતી પરંતુ લીલમાંથી સેન્દ્રીય ખાતર તૈયાર કરવામાં આવે છે અને આ ખાતર ગ્રામજનોને અને ખેડૂતોને વેચવામાં આવે છે જેમાંથી પ્લાન્ટનો મેન્ટનન્સ ખર્ચ પણ નીકળી જાય છૅ તો સાથે સાથે પંચાયતને આર્થિક આવક પણ ઊભી થઈ રહી છે. સાથે સાથે શુદ્ધિકરણ થઇને ભૂગર્ભમાં ઉતરતું પાણી ગ્રામજનોને મોટો ફાયદો કરાવે છે.


જો કે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે વરસાદની અછત સર્જાતા આ વિસ્તારના ખેડૂતો પાણી માટે વલખા મારતા આવ્યા છૅ. તેવી સ્થિતિમાં રૂપપુરા ગામમાં બનેલો આ પ્લાન્ટને લઈ રૂપપુરા સહીત આસપાસ વિસ્તારના લોકો ખુશી અનુભવી રહ્યા છૅ અને હજુ વધુમાં વધુ ગામના લોકો પોતાના ગામોમાં આ પ્લાન્ટ થકી પાણી રિચાર્જ કરતા થાય તેવી અપીલ પણ કરી રહ્યા છૅ.