અમદાવાદ #પ્રમુખસ્વામી મહારાજ શબ્દ કાને સંભળાતાં જ મનમાં એક અલૌકિક પ્રકારની ઉર્જા અને સ્નેહની ધારા વહી ઉઠે. દિલો દિમાગમાં એક એવા ઉર્જા બિંબનો સંચાર થાય કે જેના નામ માત્રથી જીવનમાં સકારાત્મક પ્રેરણાનો ધોધ છલકાય. ટૂંકમાં કહેવું હોય તો શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પળેપળ બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પ્રમુખસ્વામી મહારાજ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(courtesy: BAPS, Swaminarayan Sanstha)