ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યની જનતાને આકર્ષવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. એટલે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હાલ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગઈ છે અને બન્ને પક્ષોના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.


બીજી બાજુ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓને હલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે ચૂંટણી વાયદાઓ રૂપે રાજ્યની જનતાને બેરોજગારી ભથ્થું, ફ્રી વીજળી, શિક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર મોટી ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરીને મોટું નિવેદન આપ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube