ભરત ચુડાસમા/ભરૂચ: શહેરના નેશનલ હાઇવે 48 પાસે આવેલા આદર્શ માર્કેટ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે એક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશ મહોત્સવ લઇને ગુજરાત સહિત દેશમાં અનેક સ્થળોએ ભગવાન ગણપતિની વિવિધ આકારની મૂર્તિઓ લાવીને લોકો ગણેશજીના પાવન પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉજવણી માટે ગણપતિની પ્રતિમા લઇને આવતા ભક્તોને કરંટ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં 26 ફૂટ ઉંચી પ્રતિમા લઇને આવતા વીજ થાભલા સાથે અડી જતા સાત લોકોને એક સાથે કરંટ લાગ્યો હતો.


[[{"fid":"230480","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bharuch.jpg","field_file_image_title_text[und][0][value]":"bharuch.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bharuch.jpg","field_file_image_title_text[und][0][value]":"bharuch.jpg"}},"link_text":false,"attributes":{"alt":"bharuch.jpg","title":"bharuch.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


કરંટ લાગતા મોતને ભેટેલા અમીત સોલંકી અને કૃણાલ ભાલીયા


‘ઢબુડી માતા’ ધનજી ઓડે નકાર્યા આક્ષેપો, કહ્યું: પુરાવા આપો...


ગણેશ મહોત્સવને લઇને ઉત્સાહમાં આવેલા ગણેશ ભક્તોમાં માતમ છવાય તેવી ઘટના સામે આવી છે. ભરૂચમાં ગણેશજીની પ્રતિમા લઇને આવી રહેલા ભક્તોને વીજ થાભલાનો કરંટ લાગતા બે લોકોના મોત થયા છે. જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.