દેવ ગોસ્વામી/સાંબરકાંઠા: ભાવપૂર દુષ્કર્મ મામલે રાજ્યમાં ઠેર ઠેર રોષ ઠાલવી કંપનીઓમાં કામ કરી રહેલા પરપ્રાંતિય લોકો પર હુમલાઓ થઇ રહ્યા છે. ત્યારે ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નુરપુરા ગામની યુનીટેક કોટસ્પીન કંપનીમાં ટોળાએ હુમલો કર્યો હતો. કંપનીમાં રહેતા પરપ્રાંતીયોને લઇ હુમલો કર્યો હતો જેમાં ઝપાઝપી કરતા કંપનીનાં મેનેજર સહીત 4 લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. જ્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, પોલીસ દ્વારા નિર્દોષ માણસોને ઉઠાવી લઇને ટોર્ચર કરવામાં આવે છે. અને ગુના કબુલ કરાવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોળાએ કંપનીમાં જઈ પરપ્રાંતિય મજૂરોની સાથે છુટા હાથની મારામારી કરી હતી. જેમાં કંપની મેનેજરને હાથે ઈજાઓ થઇ હતી અન્ય ૩ ને પણ ઈજાઓ થઇ હતી. કંપનીના માલિકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે મામલો શાંત કર્યો હતો. જેમાં પોલીસે હુમલો કરી રહેલા ટોળામાંથી 10 લોકોની ધરપકડ કરી છે. આ પ્રકારની ઘટનાઓના પગલે રાજ્યભરની પોલીસને સતર્ક રહેવા માટેના આદેશ કરવામાં છે. બીજા રાજ્યમાંથી આવીને રોજગારીની પ્રાપ્તિ માટે ગુજરાતમાં આવીને કામ કરતા લોકો પર હુમલાઓ કરી રાજ્ય છોડવાના નારા લગાવમાં આવી રહ્યા છે.


[[{"fid":"185183","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Himmat-Nagar","field_file_image_title_text[und][0][value]":"Himmat-Nagar"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Himmat-Nagar","field_file_image_title_text[und][0][value]":"Himmat-Nagar"}},"link_text":false,"attributes":{"alt":"Himmat-Nagar","title":"Himmat-Nagar","class":"media-element file-default","data-delta":"1"}}]]


હિંમતનગરના ભાવપૂરમાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતિય દ્વારા દુષ્કર્મ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં પરપ્રાંતિયો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ દુષ્કર્મ થતા લોકોનું માનવું છે, કે પરપ્રાંતિયો દ્વારા ગુજરાતમાં ગુનાહિત પ્રવૃતિઓ કરીને શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.