નવનીત દલવાડી/ભાવનગર: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગે ગોઝારો અકસ્માત થયો છે. અમદાવાદના ધોલેરા પીપળી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયું છે. ચાર વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે, જેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર ભાવનગરના શિહોરનો પરિવાર છે.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગર અમદાવાદ હાઈ-વે પર અમદાવાદના ધોલેરા પીપળી નજીક ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ઈકો કારમાં સવાર ભાવનગરના શિહોરના પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube