ભાવનગર : આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરની મુલાકાતે આવવાનાં છે. જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી આવવાનાં છે તેના એક દિવસ અગાઉ જ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. સિવિલ હોસ્પિટલમાં શોક સર્કિટના પગલે આગ લાગી ગઇ હતી. આગને કારણે પંખા અને વેન્ટિલેટર બળીને ખાક થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલનાં 4 થા માળે કોવિડ વોર્ડમાં શોર્ટ સર્કિટ બાદ આગ ભડકી ઉઠી હતી. આગના પગલે ઇલેક્ટ્રિક વાયરિંગ બળી ગયું હતું. શોક સર્કિટ થતા વોર્ડમાં રહેલા તમામ કોવિડ દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં લાગવાયેલ એમસીબી સિસ્ટમે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હોસ્પિટલની MCB સિસ્ટમ ટ્રીપ થઈ જતા આગ લાગતા અટકી ગઈ હતી. 


હોસ્પિટલમાં બનેલી શોક સર્કિટની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. માત્ર વેન્ટિલેટર અને પંખા સહિત વોર્ડમાં રહેતી તમામ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. સીએમ વિજય રૂપાણી આવતી કાલે ભાવનગરની મુલાકાતે આવવાના છે. તેવામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ સિવિલ હોસ્પિટલમાં શોક સર્કીટનો બનાવ બનતા તંત્ર દોડતું થયું છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube