નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર (bhavnagar) શહેરમાં દીપાવલીના પાવન અવસરે જ મહિલાની હત્યા (murder) કરવામાં આવી છે, સરિતા સોસાયટીમાં પોતાના પિયરમાં રહેતી મહિલાનું તેના જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોત નિપજાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં આવેલ શેરી નંબર 6 માં રહેતી 19 વર્ષીય ચાર્મી પ્રવીણભાઈ નાવડિયાએ એક વર્ષ પૂર્વે વિશાલ વાઘેલા નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ બંનેનો સંસાર પાટે ચઢે એ પહેલા જ બંને વચ્ચે આંતરિક ઝઘડા શરૂ થયા હતા. પતિ વિશાલના શારીરિક અને માનસિક ત્રાસને કારણે ચાર્મી નાવડિયાએ ત્રણ મહિના પહેલા જ પતિનું ઘર છોડી દીધુ હતુ. તે પિતાના ઘરે પિયરમાં રહેવા આવી ગઈ હતી. જ્યાં આજે સવારે અચાનક તેનો પતિ વિશાલ વાઘેલા આવ્યો હતો, અને ચાર્મી કંઈ સમજે એ પહેલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી નાંખી હતી.


આ પણ વાંચો : દિવાળીએ કચ્છમાં આવ્યો ભૂકંપનો મોટો આંચકો, લોકોમાં ફફડાટ ફેલાયો


પતિ વિશાલ વાઘેલા અવાર નવાર ચાર્મીના ઘરે પિયરે આવી પોતાના ઘરે પરત આવી જવા ધમકી ધમકી આપતો હતો. જે અંગે ચાર્મીના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેમાં આજે ચાર્મીનો પતિ વિશાલ અને તેનો મિત્ર કલ્પેશ ઢાંધલક બંને ચાર્મીના ઘરે તેના પિયર આવ્યા હતા, ચાર્મીના માતા ઘરે ના હોવાથી અને ચાર્મી ઘરે એકલી હોવાનો ફાયદો ઉઠાવી બંનેએ મળી તીક્ષ્ણ હથિયારથી ચાર્મીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


આ પણ વાંચો : કાળી ચૌદશની રાતે પોલીસે સ્મશાનમાં બતાવ્યો ચમત્કાર, ભક્તો પર વરસાવી લાઠી


પત્નીની હત્યા કરી વિશાલ વાઘેલાએ પોતે પણ પોતાના પેટ પર તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોચાડી હતી. મહિલાની હત્યા થઈ હોવા અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એએસપી સફિન હસન, એલસીબી, એસઓજી અને બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ હત્યારાઓને રાઉન્ડઅપ કરી ઈજાગ્રસ્ત વિશાલ વાઘેલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.


ચાર્મી નાવડિયા તેના પિયર આવી ગયા બાદ તેના પરિવારજનોએ ચાર્મી પાસે કારણ જાણવાનો પ્રયાસ કરતા તેનો પતિ અને સાસુ બંને ચાર્મીને દેહ વ્યાપાર માટે બળજબરી કરતા હોવાની વિસ્ફોટક માહિતી મળી હોવાનો સ્થાનિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.