ભાવનગરઃ મહુવાના વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) પ્રમુખની હત્યા કરવામાં આવી છે. વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બે વ્યક્તિ પર હુમલો થયો હતો. એકની હાલત ગંભીર છે. વીએચપીના પ્રમુખની હત્યા થવાથી વાતાવરણ તંગ બની ગયું છે. 7 અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું છે. પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રમુખ સહિત બે લોકો પર હુમલો થયો હતો. જેમાં પ્રમુખની હત્યા જ્યારે બીજો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.