અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના મુડેઠા ગામમાં ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેની લાશને ગામની સીમમાં રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસે ફેકી આત્મહત્યામાં ખપાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે મૃતકની શરીર ઉપર હથિયારના ઘા મળી આવતા ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યા સહાયકોનું આંદોલન ગાંધીનગર પહોંચ્યું : પોલીસે ટીંગાટોળી કરી, ઉમેદવારોની અટકાયત


ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી ગઈકાલે રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસેથી યુવકની બિનવારસી લાશ મળી આવી હતી. જેને લઈને લોકોના ટોળા એકઠા થયા બાદ ભીલડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે મૃતક યુવકના મોંઢાનો આગળનો ભાગ ચુંથાઇ ગયેલ હોઇ લાશ પોલીસને લાશ ઓળખવામાં મુશ્કેલી પડી હતી. 


છોટાઉદેપુરમાં રાઠવા Vs રાઠવા વોર : ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ વચ્ચે જામ્યું વાક્ય


જોકે ભીલડી પોલીસે લાશનો કબજો લઈને તેને પોસમોર્ટમ માટે ખસેડી હત્યા કે આત્મહત્યાની તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને અલગ-અલગ ટીમો બનાવી લાશની ઓળખ માટે તપાસ કરતા મૃતક યુવાન મુડેઠા ગામનો 35 વર્ષીય વીરાજી ચંદુજી રાઠોડ હોવાનુ સામે આવતા તેમજ મૃતકનો પોસમોર્ટમ રિપોર્ટ આવતા આ બાબતે પોલીસે ઝીણવટથી તપાસ કરતા યુવકનું મર્ડર થયાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે ઈ.પી.કો.કલમ 302 મુજબનો ગુનો નોંધી ત્યારબાદ ખાનગી રાહે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે મરણ જનારની પત્નિ સોનલબેને તેના પ્રેમી અલ્પેશસંગ હરીસંગ રાઠોડ સાથે મળીને તેના પતિની હત્યા કરીને તેની લાશને ગામની સીમમાં ફેંકી દઈ તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. 


ડાયમંડ બુર્સના શ્રીગણેશ : મુંબઈના વેપારી સુરત શિફ્ટ થયા, આજથી વેપારનો કર્યો પ્રારંભ


જેથી પોલીસે મૃતકની પત્નિ સોનલબેન તથા તેના પ્રેમી અલ્પેશસંગ હરીસંગ રાઠોડ બન્નેની કડક પુછપરછ કરતા 18 નવેમ્બર ના રાત્રીના આશરે અગિયાર વાગ્યાના અરસામા મૃતક વિરાજી રાઠોડના ખેતરની બાજુના ખેતરમા એરંડાના છોડની આડમા તેની પત્ની અને પ્રેમીએ લોખંડના ધારીયા વડે ઘા મારી તેનું મોત નિપજાવેલ અને ત્યારબાદ બીજા દિવસે તા 19 નવેમ્બરના રાત્રીના આરોપી અલ્પેશસગે મૃતકની લાશને ખેતરમાંથી ઘસડી લાવી મુડેઠા ગામની સીમમા ભીલડી શિહોરી હાઇવે રોડને અડીને આવેલા અલ્કેશભાઇ ઠકકરના ખેતરના ઝાપા પાસે લાવીને ફેંકી દીધેલ હતી. તેવી કબુલાત કરતા પોલીસે પત્ની અને પ્રેમીની અટકાયત કરી હતી.


કયા સમયે દૂધ પીવું જોઈએ, રાત્રે કે સવારે? ખબર ન હોય તો એકવાર વાંચી લો..નહીતર પસ્તાશો


પતિની હત્યા પાછળ પત્ની અને પ્રેમીનો અવેધ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે જ્યાં મૃતકની પત્ની સોનલ રાઠોડને તેનાજ ગામના અને તેનાથી ઉંમરમાં 13 વર્ષ નાના અલ્પેશસંગ રાઠોડ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યાં પતિ વિરાજી રાઠોડ પત્ની અને પ્રેમીના પ્રેમમાં બાધારૂપ બનતા પત્ની અને પ્રેમીએ સાથે મળીને પ્લાન બનાવી પતિ વિરાજી રાઠોડની હત્યા કરી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. જોકે આખરે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીનું પાપા છાપરે ચડીને પોકારતા તેમના પાપનો ફાંડો ફૂટ્યો હતો અને તેવોની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર, જાળમાં આવે તો માછીમાર બને છે લખપતિ


હત્યાના આરોપીઓ.
(1) અલ્પેશસંગ હરીસંગ રાઠોડ ઉ.વ.19 ધંધો-ખેતી રહે-મુડેઠા
(2) સોનલબેન વા/ઓ વીરાજી ચંદુજી જાતે-રાઠોડ ઉ.વ.આ.32 ધંધો.ઘરકામ તથા ખેતી રહે-મુડેઠા


ઉલ્લેખનીય છે કે, પોલીસને એક લાશ મળી હતી.પોલીસ તપાસમાં આત્મહત્યા નહિ હત્યા થઈ હોવાનું સામેં આવ્યું છે. ખુદ પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી છે.