રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આ વખતે મેઘરાજાએ મહેર કરી છે. મેઘરાજાની આ મહેરને કારણે કચ્છના 18 લાખ જેટલા પશુઓ પરથી ઘાસચારાનું સંકટ ટળી ગયું છે, અને તેઓને જીવન મળ્યું છે. તો, સારા વરસાદને કારણે ખેતીને પણ જીવતદાન મળી ગયું છે. મેઘરાજાના આ વ્હાલને વધાવવા માટે ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ‘મેઘલાડુ ઉત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે મુખ્યમંત્રી આ કાર્યક્રમ માટે ભૂજ પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં ગણેશ મહોત્સવમાં કરંટ લાગતા યુવકનું મોત, હાઈટેન્શન વાયરમાંથી કરંટ ટેમ્પામાં બેસેલા રાહુલ સુધી પહોંચ્યો 


સૌરાષ્ટ્રમાં કોંગો ફિવરનો કહેર, 5 દિવસમાં કુલ 33 દર્દી શંકાસ્પદ કેસ નોંધાયા


આ પ્રસંગે કચ્છની 100થી વધુ સામાજિક સંસ્થાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરીને તેમની દુષ્કાળ સમયની કામગીરીનું ઋણ સ્વીકાર ચૂકવશે. આ પ્રસંગે કચ્છમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ જાહેર કરાશે, જોકે સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ થઇ ગયો છે તેવું ભૂજ સ્વામીનારાયણ મંદિરના શુકદેવજી સ્વામીએ જણાવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :