Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. એ પહેલા ભાજપ કોંગ્રેસના નેતાઓ પ્રજાને આકર્ષવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આજે બનાસકાંઠામાં એકી બે ઘટનાઓ સામે આવી છે, જેમાં રાજનેતાઓ ભૂવાના શરણે પહોંચ્યા છે. મહેસાણા લોકસભા બેઠક પર અને વિજાપુરની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થશે તેવી ભૂવાએ ભવિષ્યવાણી કરી છે. તો પાલનપુરના સદરપુરમાં જહુ માતાના ભુવાએ બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભવિષ્યવાણી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યુ


લોકસભાની ચૂંટણીને લઈને ભુવાઓમાં ભવિષ્યવાણી કરવાની હોડ મચી છે. ત્યારે બનાસકાંઠા બાદ પાલનપુરના સદરપુરમાં જહુ માતાના ભુવાએ લોકસભાની બનાસકાંઠા સીટને લઈને ભવિષ્યવાણી કરી છે. ભુવાજીએ ધુણતા ધુણતા કહ્યું કે 327થી 335 ભાજપ, ભાજપ, ભાજપ, કમળ, કમળ, કમળ...બાકી બધુ રમણ-ભમણ...ભુવાજીએ કહ્યું; બનાસકાંઠામાં એક લાખ 72 હજાર મતે કમળ ન ખિલાવું તો મને માતા ન કહેતા. આ સાથે જ ગુજરાતમાં ભુવાઓની લોકસભાની ચૂંટણીને લઈને અનેક ભવિષ્યવાણી સામે આવી રહી છે.


રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદ


ભાજપના ઉમેદવારો ભુવાજીની શરણે
ભાજપ લોકસભાના ઉમેદવાર હરિ પટેલ અને વિજાપુર વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર સી.જે.ચાવડા સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શન પહોંચ્યા હતા. જ્યાં ભુવાજીએ ધૂણતા ધૂણતા લોકસભાની ચૂંટણીમાં ભાજપ દેશમાં 400થી વધુ બેઠક જીતશે તેવી પણ ભવિષ્યવાણી કરી છે. ભાજપના ઉમેદવારો ભૂવાજીની શરણે પહોંચ્યા હતા. જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમમાં મૂકી દીધા હતા. સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને બન્ને ઉમેદવાર ગયા હતા. ભૂવાજીએ ધૂણતાં ધૂણતાં ભાજપના બન્ને ઉમેદવારોની જીતના આશીર્વાદ આપ્યા છે. ધૂણતાં-ધૂણતાં દીપા માતાજીના ભૂવાજીએ જીતની ભાજપની ભવિષ્યવાણી કરી છે. 


એપ્રિલના અંત અને મે મહિનામા કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ


(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી કે તેની પુષ્ટિ કરતું નથી.)