બ્રિદેશ દોશી/ગાંધીનગર: રાજ્ય શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિદ્યા સહાયકોની ભરતી બાબતે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે આગામી 26 જાન્યુઆરીએ જાહેરાત આપી ભરતી કરાશે.


રાજ્ય સરકારની 3300 વિદ્યા સહાયકની નવી ભરતીની જાહેરાત બાબતે તેમણે જણાવ્યું છે કે ભારત સરકારના the Rights Of Persons With Disabilities Act, 2016ની જોગવાઈઓનું અનુસરણ કરતાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની ભરતી સંદર્ભે દિવ્યાંગ કેટેગરીમાં 3 ટકા અનામતમાં વધારો કરી 4 ટકા અનામત કરવા બાબતે તા. 18/01/2022ના રોજ ઉક્ત ફેરફારને અસર કરતો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube