• BREAKING NEWS: ગુજરાતની આખી સરકાર નવી બનશે, DY.CM નીતિન પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપી દીધું જે રાજ્યપાલે સ્વિકાર્યુ


 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામું ધરી દેતા ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ પણ રાજીનામાં આપ્યા હતા તે ગવર્નર દ્વારા સ્વિકારી લેવાયા હતા. જો કે જ્યાં સુધી નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળને યથાવત્ત રાખવા માટે રાજ્યપાલે વિનંતી કરી છે. 


અત્રે નોંધનીય છે કે, મોડી સાંજ સુધી માત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામની જ ચર્ચા હતી. પરંતુ હવે સરકારનાં તમામ નેતાઓએ રાજીનામું આપી દેતા તમામ પદ અને તમામ મંત્રાલય માટે નવા ચહેરાઓ સહિત સમગ્ર સરકાર જ નવી બનશે. તમામ મંત્રાલયોને નવા પ્રધાનો મળશે. જેના પગલે દિલ્હીથી માંડીને ગાંધીનગર સુધી તબક્કાવાર રીતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube