સપના શર્મા/અમદાવાદ: RTE ને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદગમ સ્કૂલમાં RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 126 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઉદગમ સ્કૂલમાં RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 126 પ્રવેશ રદ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અગાઉ ઉદગમ સ્કૂલ દ્વારા વધુ આવક ધરાવતા હોય તેવા વાલીઓના રિટર્ન ફાઈલ મેળવી DEO કચેરીએ પુરાવા સાથે અરજી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી માતૃત્વ લજવાયું, પાપ છુપાવવા જનેતાએ નવજાત શિશુને કચરામાં ફેંક્યું!


નિયમ મુજબ 1.5 લાખથી વધુ આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE માં પ્રવેશ મળી શકે નહી. તેમ છતાં ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે અત્યાર સુધી પ્રથમ વખત સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 


કાળજા પર પથ્થર મુકી માતાએ ભારે હૈયે દિકરાનાં અંગોનું કર્યું દાન, 4 લોકોના જીવનમાં...


અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અગાઉ ઉદગમ સ્કૂલના સંચાલકે 6 મહિના પહેલા કચેરીએ રજૂઆત કરી હતી. 126 એડમિશન રદ કરવામાં આવ્યા છે. નિયમ વિરુદ્ધ પ્રવેશ હતા. રાજ્ય સરકાર વતી પણ અમને વાલીઓ સામે એક્શન લેવા સૂચના હતી. અગાઉ એશીયન ગ્લોબલ સ્કૂલના 46 પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા. 


મોદીને હોમટાઉનમાં હરાવવા AAPની રણનીતિ, પતિઓ જેલમાં પત્નીઓ ઉતરશે ગુજરાતના રણમાં


ઉદગમ સ્કૂલને લઇ વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા. શાળાના 150 થી વધુ RTE પ્રવેશ રદ કરવાનાં નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ અગાઉ ઉદગામ સ્કૂલે જાતે જ વાલીઓના ઈન્ક્મ ટેક્સ રિટર્ન મેળવી વધુ ઈન્ક્મ ધરાવતા વાલીઓની માહિતી મેળવી હતી. વાલીઓ પોતાની રજૂઆત લઇ DEO કચેરી પહોંચ્યા હતા.