બ્યૂરો રિપોર્ટ, અમદાવાદઃ કોઈ સંકટ જ્યારે નજીક આવતું હોય, ત્યારે એ સંકટથી વધુ ભયાનક તેનો ડર હોય છે. આ  ડર વ્યક્તિના સુખ શાંતિ હણી લે છે, ગુજરાતના લોકો અત્યારે આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, કેમ કે અહીં બિપરજોય વાવાઝોડું આફત બનીને ત્રાટકે તેની આડે ગણતરીના કલાકો જ બાકી છે. જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા, તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે, તેની કલ્પના જ વ્યક્તિને હચમચાવી મૂકે છે. 1998ના કંડલાના વિનાશક વાવાઝોડા બાદ ગુજરાતે આવા વાવાઝોડાનો અનુભવ નથી કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપરજોય...આ નામમાં ભલે જોય જવો હળવો શબ્દ હોય, પણ આ નામ જેને અપાયું છે, તે વાવાઝોડું વિનાશ વેરે તેમ છે.. તેનું કારણ છે વાવાઝોડાનું કદ અને પવનની ગતિ. વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે, તેમ તેમ વિકરાળ સ્વરૂપ ધારણ ધારણ કરી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી કરાઈ છે. 


આગામી પાંચ દિવસ સાચવજો, ગુજરાતના 33 જિલ્લા માટે હવામાન વિભાગે જાહેર કરી આગાહી


500 કિલોમીટરથી વધુના ઘેરાવા સાથે આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું જ્યારે દરિયાકાંઠા પર ટકરાશે, ત્યારે રાક્ષસી ગતિએ પવનો ફૂંકાશે. 14મી જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. જો કે 15મી જૂને વાવાઝોડા સમયે કચ્છ જામનગર અને દ્વારકામાં પવનની ગતિ વધીને 135 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. 


એટલે કે જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા, તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે. તે સમયે કાંઠાના વિસ્તારોના માહોલની કલ્પના કરવી પણ અઘરી છે. 


વાવાઝોડાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube