Ambalal Patel Prediction : અરબ સાગરમાં ઉદભવેલું બિપોરજોય વાવાઝોડું હવે અતિગંભીર સ્થિતિમાં આવી ગયું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાથી માત્ર 8 કલાક દૂર છે. દર કલાકે બિપરજોય નામની આફત પાંચ કિલોમીટર નજીક આવી રહી છે. ગુજરાતના દરિયાકિનારાથી હાલ 200 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે છે. 6 જુન બાદથી વાવાઝોડાએ ગુજરાત તરફ આવવા માટે 1300 કિમીનું અંતર કાપ્યું છે. વાવાઝોડાનો કુલ ઘેરાવો 6 હજાર કિમી છે. એટલે કે વાવાઝોડાનો ઘેરાવો એક ગામ જેટલો નહિ, પણ મુંબઈ જેટલા શહેર જેટલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે કચ્છમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટરના અપડેટ અનુસાર, જૂન 1998 ના ચક્રવાતનો રેકોર્ડ તોડીને અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવતું ચક્રવાત બન્યું છે. આ ચક્રવાત અંદાજે 190 કલાકથી અરબ મહાસાગરમાં સક્રિય છે. 


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : 8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું


સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર


અરબી સમુદ્ર થઈ રહ્યો છે લાવા જેવો ગરમ
નિષ્ણાતો અનુસાર, અરબ સાગર વધુ ગરમ થઈ રહ્યો છે. જેને કારણે અરબ સાગરમાં વાવાઝોડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ અરબ સાગરમાં વાવાઝોડું છે છતા તેનુ તાપમાન 31 થી 32 ડિગ્રી છે, જે સામાન્યથી એક ડિગ્રી વધારે કહેવાય. 


ગુજરાતમાં લોકડાઉન! : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન