અમદાવાદ: ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીના વર્ષમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદની દ્વારકા મુલાકાત વિવાદમાં આવી છે. કૃષ્ણભૂમિ દ્વારકામાં કેજરીવાલે ભગવાન શ્રીકૃષ્ણને લઈને કરેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે દ્વારકામાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પૃથ્વી પર ગરબડ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ઝાડુ ફેરવવું પડે છે. દ્વારકામાં કેજરીવાલ પહેલા સંસ્કૃતનો અડધો શ્લોક બોલ્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણને લઈને વિવાદી ટિપ્પણી કરી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈ ગરબડ થાય છે ત્યારે ભગવાને તેમનુ ઝાડુ ચલાવવુ પડે છે અને ભગવાન તેમનુ ઝાડુ ચલાવે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube