New Parliament : આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર નવી સંસદના શ્રીગણેશ થઈ રહ્યાં છે. ત્યારે જુના સંસદ ભવનમાં સાંસદોનું ફોટોસેશન કરાયુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર હતા. ત્યારે ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે મંગળવારથી સંસદ ભવન બદલાઈ રહ્યું છે. આજથી સાંસદો નવી સંસદમાં કામગીરી કરશે. ત્યારે તમામ સાંસદો જૂના ભવનથી નવા ભવન તરફ જશે. આજથી નવી સંસદમાં કાર્યવાહી થશે. તેથી પીએમ મોદી, રાહુલ ગાંધી સહિત સત્તા અને વિપક્ષના તમામ સાંસદો જૂની સંસદમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તમામ સાંસદોનું ખાસ ફોટો સેશન આયોજિત કરાયુ હતું. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો પડાવ્યા હતા. આ બાદ બંને સદનના સાંસદોનું ફોટોશૂટ થયુ હતુ. આ દરમિયાન ગુજરાતના બીજેપી સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. જેથી ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક નરહરિ અમીનની સંભાળ લીધી. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે.


અમેરિકા જવા નીકળેલા મહેસાણાના 4 યુવકો ક્યાં ગાયબ! વિદેશ મંત્રાલયને તપાસમા કંઈ ન મળ્ય


 


હજી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : આજે 19 સપ્ટેમ્બરે આ જિલ્લાઓનો વારો પડશે


જૂની સંસદમાં આજે કોણ કોણ સંબોધન કરશે?
જૂની સંસદમાં આજે કોંગ્રેસના સાંસદ અધીર  રંજન ચૌધરી સંબોધન કરશે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંબોધન કરશે. સદનના નેતા પીયુષ ગોયલ સંબોધન કરશે. ભાજપના સાંસદ મેનકા ગાંધી સંબોધન કરશે. મેનકા ગાંધી લોકસભામાં સૌથી વધારે સમયથી સાંસદ છે. તો ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ શિબુ સોરેન સંબોધન કરશે. શિબુ સોરેનનો બંને સદનમાં મળીને સૌથી લાંબો કાર્યકાળ પસાર કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સંબોધન કરશે, જેમણે રાજ્યસભામાં સૌથી વધારે સમયથી સાંસદ રહ્યાં છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પણ સંબોધન કરશે.    


 


સિંગતેલના ભાવ દિવાળી બગાડશે, રાજકોટમાં આજે ખૂલતા બજારે ફરી સિંગતેલમાં ભાવમાં ભડકો