Gujarat Election 2022, ચેતન પટેલ/સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રા આજે સુરતમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. મંત્રોચ્ચાર સાથે ઉદ્ધાટન કરાયું હતું. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. સંબિત પાત્રાએ જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ જ રાહુલ ગાંધીને સાંભળવા તૈયાર નથી, એટલે જ ભરતસિંહે અધવચ્ચે ટ્રાન્સલેશન કરવાનું બંધ કર્યુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, હું ઓડીસાનો છું. પરંતુ મને જગન્નાથની ભૂમિ પર આવવાનો મોકો મળ્યો છે. ભારત બહાર જાવ ત્યારે લોકો કહે છે, ભારત ખૂબ આગળ વધી ગયું છે. ગુજરાતી લોકોનો આભાર.. જેમને નરેન્દ્ર મોદીને નેતા અને સીએમ સુધી પહોંચાડ્યા. વિકાસની વાતોને લઈ આગળ વધ્યા છે. હર ઘર નળ યોજનાથી દરેક ઘરોમાં પાણી પહોચાડ્યું છે. કોરોના મહામારી દરમિયાન મફત અનાજ પહોંચાડવામાં આવ્યું છે. 36 મહિના અંતર્ગત ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube