યશ કંસારા/અમદાવાદ: કોઈ વ્હાલાસોયાને એક ખરોચ પણ આવે કે સામાન્ય તાવ પણ આવે તો સૌ કોઈ ચિંતામાં મુકાય છે. પણ વિચાર કરો એવા ઘરની જે ઘરે દિકરો અને ભાઈ બંને ગુમાવ્યા હોય. તે ઘરમાં કેવી પરિસ્થિતિ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલ કેમિકલ કાંડમાં 41 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક પરિવારો નિરાધાર થયા છે. તો અમુક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે. ત્યારે રાણપુર તાલુકામા પણ કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે, રાણપુર તાલુકાના વેજળકા ગામે બળવંત સિનધવ નામના ૩૦ વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે. આ યુવાનના પરીવારમાં ત્રણ બહેનો છે. અને એક દિકરો માતા પિતા સાથે રહેતો હતો. દરમિયાન ઝેરી કેમિકલ પીવાથી આ યુવાનને સારવારમાં લઈ ગયા ત્યારે તેની તબીયત સારી હતી. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube