આવા દા`હાડા કોઈને ના બતાવે ભગવાન! કેમિકલ કાંડમાં બોટાદના પરિવારની દુનિયા તહેસ-નહેસ કરી
બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલ કેમિકલ કાંડમાં 41 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક પરિવારો નિરાધાર થયા છે. તો અમુક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે. ત્યારે રાણપુર તાલુકામા પણ કેટલાક લોકોના જીવ ગયા છે.
યશ કંસારા/અમદાવાદ: કોઈ વ્હાલાસોયાને એક ખરોચ પણ આવે કે સામાન્ય તાવ પણ આવે તો સૌ કોઈ ચિંતામાં મુકાય છે. પણ વિચાર કરો એવા ઘરની જે ઘરે દિકરો અને ભાઈ બંને ગુમાવ્યા હોય. તે ઘરમાં કેવી પરિસ્થિતિ હશે.
બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલ કેમિકલ કાંડમાં 41 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક પરિવારો નિરાધાર થયા છે. તો અમુક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે. ત્યારે રાણપુર તાલુકામા પણ કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે, રાણપુર તાલુકાના વેજળકા ગામે બળવંત સિનધવ નામના ૩૦ વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે. આ યુવાનના પરીવારમાં ત્રણ બહેનો છે. અને એક દિકરો માતા પિતા સાથે રહેતો હતો. દરમિયાન ઝેરી કેમિકલ પીવાથી આ યુવાનને સારવારમાં લઈ ગયા ત્યારે તેની તબીયત સારી હતી. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube