ઝી બ્યુરો/ભૂજ: રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભૂકંપના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આંચકા અનુભવાઈ રહ્યા છે. કચ્છમાં આજે સાંજના 6.22 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 22 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. વિશેષજ્ઞો વાગડ ફોલ્ટ લાઈન સક્રીય થયું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. કચ્છમાં સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારોમાં મેઘો આફત બનીને તૂટી પડશે


મહત્વનું છે કે, તાજેતરમાં કચ્છ અને અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આજે કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો. ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી વિગતો મુજબ રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ છે. ભચાઉથી 22 કિલોમિટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 


હવે ગરીબોનો કોળિયો નહીં છીનવાય! ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય


થોડા દિવસ અગાઉ પણ ભૂકંપ આવ્યો હતો
અગાઉ 27 ફેબ્રુઆરીએ 10 વાગ્યા આસપાસ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 નોંધાઈ હતા. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 62 કિલોમીટર દૂર નોંધાયું હતું.