• ગુજરાતમાં 3 નવા જિલ્લા બનશે! 

  • થોડા ટાઈમમાં થઈ શકે છે જાહેરાત

  • જાણો કયા વિસ્તારોના નામ છે ચર્ચામાં



New District: પ્રાપ્ત માહિતી મુજબ સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. આ નવા જિલ્લાઓમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદનો સમાવેશ થઈ શકે છે.


  • રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા

  • નિર્ણય અમલમાં આવે તો જિલ્લાઓની સંખ્યા 33થી 36 થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં હાલ કુલ 252 તાલુકા આવેલાં છે. જ્યારે ગુજરાતમાં હાલ કુલ 18000 ગામડાંઓ આવેલાં છે. હાલ ગુજરાતમાં કુલ 15 મહાનગર પાલિકાઓ આવેલી છે. અગાઉની 8 મનપામાં અન્ય 7 નવી મનપા ઉમેરાતા આ આંકડો પંદરે પહોંચ્યો છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે. 


  • ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાઓની થઈ શકે છે જાહેરાત

  • રાજ્યમાં નવા ત્રણ જિલ્લા બનાવવા પર વિચારણા

  • વડનગર, વિરમગામ અને થરાદ અથવા રાધનપુરનું નામ ચર્ચામાં


ગુજરાતના કુલ 33 જિલ્લાઓઃ
૧    અમદાવાદ    
૨    અમરેલી    
૩    આણંદ    
૪    અરવલ્લી    
૫    બનાસકાંઠા    
૬    ભરૂચ    
૭    ભાવનગર    
૮    બોટાદ    
૯    છોટાઉદેપુર    
૧૦    દાહોદ    
૧૧    ડાંગ    
૧૨    દેવભૂમિ દ્વારકા
૧૩    ગાંધીનગર
૧૪    ગીર સોમનાથ
૧૫    જામનગર
૧૬    જુનાગઢ
૧૭    કચ્છ
૧૮    ખેડા
૧૯    મહીસાગર
૨૦    મહેસાણા
૨૧    મોરબી
૨૨    નર્મદા    
૨૩    નવસારી        
૨૪    પંચમહાલ
૨૫    પાટણ
૨૬    પોરબંદર
૨૭    રાજકોટ
૨૮    સાબરકાંઠા    
૨૯    સુરત
૩૦    સુરેન્દ્રનગર
૩૧    તાપી
૩૨    વડોદરા
૩૩    વલસાડ


નવા જિલ્લા બનવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે. જોકે, આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે છે.


થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. ​રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.


​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી પાણીના નીકાલ, રોડ-રસ્તાની હસ્તા હાલ, ડ્રેનેજ અને વોટર લાઈનો સહિતના પાયાના પ્રશ્નોના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે. એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.


​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે. ​આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ ૬૬૮ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.