આટકોટ : આટકોટમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. શઇવરાજપુર ગામ નજીકનાં ચેકડેમમાં બળદ ગાડા સાથે પડી જતા મોત નિપજ્યું હતું. મહિલાના પતિ તથા બે બાળકોનો આબાદ બચાવ થયોહ તો. બળદગાડાના બે બાળદમાં એક બળદનું પણ મોત નિપજ્યું છે. બળદગાડામાં બે બાળકો હતો તેમનો ખુબ જ ચમત્કારીક બચાવ થઇ ગયો હતો. આ દુર્ઘટનામાં મુક્તાબેન અરવિંદભાઇ વાઘેલા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.


બિન સચિવાલયની પરીક્ષા આપી પરત ફરી રહેલ વિદ્યાર્થીને ટ્રકે ટક્કર મારી, મોત
અલંગ-ભાવનગરમાં ગુંડારાજ સામે વેપારીઓએ બાંયો ચડાવી, તંત્ર કડક કાર્યવાહીના મુડમાં
જસદણ ફાયર સ્ટાફ દ્વારા 15-20 ફુટ ઉંડા પાણીમાંથી મહિલાનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત બળદગાડુ પણ બહાર કાઢવામાં આવ્યું હતું. મૃતદેહને જસદણની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાના મોતને પગલે સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. જ્યારે માતાના મોતનાં કારણે બાળકો પણ માં વિહોણા બન્યા છે.