વલસાડ: વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ નજીક ફૂલ લઇને દર્શન કરવા મંદિર જઇ રહેલા દંપતિનું બાઇક સ્લીપ ખાઇ જતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેન લીધે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતો. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ધરમપુર રોડ પર બાઇક લઇને જઇ રહેલા દંપતિનું બાઇક સ્લીપ ખાઇ જતાં રોડ પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતી બસનું ટાયર દંપતી પરથી ફરી વળ્યું હતું. દંપતી કચડાયાની બસ ચાલકને જાણ થતાં તેણે બસ રોકી દીધી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા ઉપટી પડ્યા હતા. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 


અકસ્માત અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત બાદ બસ ડ્રાઇવર પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. જોકે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube