અમદાવાદઃ Gujarat Weather: ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે ગુજરાતના કેટલાક ભાગમાં આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રએ કહ્યું કે રાજ્યના કેટલાક જિલ્લામાં શનિવારથી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો અને હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસમાં બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે. આ સાથે વીજળીના કડાકા સાથે આછું તોફાન અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પરનો પવન પણ આવી શકે છે.


રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં 24 કલાક વરસાદ પડ્યો હતો. ડાંગ, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં 24 કલાક વરસાદ પડ્યો હતો. જો કે આ જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો. વઘઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ ડાંગમાં નોંધાયો છે.


આ પણ વાંચોઃ આ વર્ષે ચોમાસામાં વરસાદ સાથે આવશે આફત, હોળીની જ્વાળા જોઈને બોલ્યા અંબાલાલ પટેલ


IMDએ જણાવ્યું હતું કે પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ જે ઉત્તર ગુજરાત અને તેની પડોશ પર પડેલું હતું તે હવે ઉત્તર ગુજરાત અને તેને અડીને આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. સાયક્લોનિક સરક્યુલેશન સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તર્યું છે.


રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. 


આજે પણ રાજ્યના 20 જેટલા જિલ્લામાં વરસાદ પડ્યો
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા, અમરેલી, ભરૂચ, ભૂજ સહિત ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. પાટણના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક જિલ્લામાં કમોસમી માવઠું પડ્યું છે. સમી, શંખેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં ગાજવીજ સાથે પવન ફૂંકાયો છે, જ્યારે જિલ્લાના અનેક વિસ્તારમાં માવઠાના વાદળોથી ખેડૂત ચિંતીત છે. શંખેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે માવઠું થયું છે. ઘઉં, ચણા, જીરું સહિતના પાકને નુકશાનની ભીતિ છે. ગુજરાતના 20 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. 


આ પણ વાંચોઃ હવે પેપર લીક કરનારને થશે આકરી સજા, બિલને રાજ્યપાલે આપી મંજૂરી, આજથી કાયદો લાગૂ


રવિ પાકો ધાણા, ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાન 
કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી ચણા, ઘઉં, ધાણા, લસન, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ અને કોટડા સાંગાણી પંથકના ખેડૂતને મોટું નુકસાનની ભીતિ જોવા મળી હતી. પાંચિયાવદર માં 2500 થી 3000 વીઘામાં ખેડૂતના પાકોમાં વરસાદી માવઠાથી લાખોનું નુકસાનની ભીતિ જોવાઈ રહી છે તેવું પાંચિયાવદરના ઉપસરપંચ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube