હિતલ પારેખ, ગાંધીનગર: કોરોના વાયરસ (Covid-19)ની સ્થિતિ અને તેના નિવારણ પગલા તેમજ લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિનું મુલ્યાંકન સમીક્ષા કરવા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય આરોગ્ય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં સુરત અને અમદાવાદમાં રાજ્ય સરકાર દ્વારા લીધેલા ત્વરિત પગલા અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની સરાહના કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, રેડ ઝોન સમગ્ર અમદાવાદનો ખતરનાક વિસ્તાર છે. અહીં કોરોનાના સૌથી વધારે દર્દીઓ છે. અહીં 6 વિસ્તારો આવેલા છે. જેમાં દાણીલીમડા, દરિયાપુર, શાહપુર, ખાડીયા, જમાલપુર અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મ્યુનિ. દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતા પણ આ વિસ્તારોમાં કેસમાં કોઇ જ ઘટાડો નથી થઇ રહ્યો.


અમદાવાદના ઓરેન્જ ઝોનમાં આનો સમાવેશ
સંક્રમણના કેસ ઓછા છે તેવા વિસ્તારોનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસપી સ્ટેડિયમ, રાણીપ, મોટેરા (સાબરમતી સમજવો), વાસણા, ચાંદખેડા, સરખેજ, મક્તમપુરા, જોધપુર, વેજલપુર, બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયાનો સમાવેશ થાય છે. તો પુર્વના વટવા, મણિનગર, ઇન્દિરાપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર, નરોડા, સરસપુર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર,અસારવા, શાહિબાદ, ગોમતીપુર, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ અને ભાઇપુરાનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube